2025 Prayagraj
Kumbh Mela
2025 Prayagraj Kumbh Mela is an event held from January 13, 2025 to February 26, 2025 in Prayagraj, India.
મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે બનેલી હૃદયદ્વાવક દુર્ઘટનાએ સૌને હચમચાવી મુક્યા હતા. પ્રયાગરાજમાં મોડી રાત્રે મચેલી
ભાગદોડમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ દુ:ખદ ઘટનામાં ઘવાએલાઓને સારવારર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેવા સમયે અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકો તે ઈઝાગ્રસ્તોની વહારે આવ્યા છે. હોસ્પિટલમાં સારવાર લેતા પીડિતોને તેઓ ભોજન
સહિતની સેવાઓ પહોંચાડી રહ્યા છે.
મૌની અમાવસ્યાના દિવસે અમૃસ્નાન દરમિયાન મચેલી ભાગદોડમાં મૃતકોના પરિજનોને સહાય પહોચાડવા અદાણી જૂથે જાહેરાત
કરી છે. તેવામાં અનેક ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઈજાગ્રસ્તોમાં કેટલાક તો એવા છે જેઓને ખૂબ જ
ઉંડી ઈજાઓ પહોંચી છે. તેવામાં અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકો તેમની કાળજી લઈ રહ્યા છે. દર્દીઓને તેઓ ફળ-ફળાદિ અને પુરતુ
ભોજન પૂરુ પાડી રહ્યા છે. એટલું જ નહીં, તેમને માનસિક સ્વસ્થતા જાળવવા માટે ઉંડી સાંત્વના પણ આપે છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “મહાકુંભમાં બનેલી
હૃદયદ્રાવક ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. અમે દિવંગત આત્માઓને અમારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને
શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. મહાકુંભમાં હાજર રહેલા અદાણી પરિવારના તમામ સભ્યો અને
સમગ્ર અદાણી ગ્રુપ, મેળા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના સહયોગથી, અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે
પ્રતિબદ્ધ છે”.