2025 Prayagraj
Kumbh Mela
2025 Prayagraj Kumbh Mela is an event held from January 13, 2025 to February 26, 2025 in Prayagraj, India.
મહાકુંભમાં શ્રદ્ધાનો મહાસાગર ઉમટી રહ્યો છે. દેશ અને દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર સ્નાન માટે મહાકુંભમાં
પહોંચી રહ્યા છે. મહાકુંભની શરૂઆતથી 11 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં 45 કરોડ લોકોએ પવિત્ર ડૂબકી લગાવી છે. આ
પહેલી વાર છે જ્યારે દુનિયામાં એક જ જગ્યાએ આટલા બધા ભક્તો ભેગા થયા છે. મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં, 49.68 લાખ લોકોએ
ત્રિવેણીમાં સ્નાન કર્યું હતું. માઘ પૂર્ણિમા પહેલા પણ દરરોજ એક કરોડથી વધુ ભક્તો પવિત્ર સ્નાન માટે સંગમ કિનારે પહોંચી
રહ્યા છે.
યોગી સરકારના અંદાજ પ્રમાણે સમગ્ર મહાકુંભમાં કુલ 45 કરોડથી વધુ લોકોનું આગમન થવાનું હતું. જો કે, મહાકુંભમાં ભક્તોની ભારે
ભીડ જોઈને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે સ્નાનનો નવો રેકોર્ડ બનશે. દરરોજ લાખો ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે.
સીએમ યોગીએ પહેલાથી જ આગાહી કરી હતી કે આ વખતે આયોજિત થઈ રહેલો ભવ્ય અને દિવ્ય મહાકુંભ સ્નાન કરનારાઓની સંખ્યામાં એક નવો
રેકોર્ડ બનાવશે.
મહાકુંભની સમાપ્તિના 15 દિવસ પહેલા યોગીજીનું મૂલ્યાંકન સાચું સાબિત થયું. મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં મહાકુંભમાં સ્નાન
કરનારાઓની સંખ્યા 45 કરોડને વટાવી ગઈ છે. મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં, લગભગ 50 લાખ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર
ડૂબકી લગાવી હતી, જેની સાથે મહાકુંભમાં સ્નાન કરનારાઓની સંખ્યા 45 કરોડને વટાવી ગઈ. મહાકુંભમાં હજુ 15 દિવસ અને બે
મહત્વપૂર્ણ સ્નાન બાકી છે. મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે, જે જોતાં સ્નાન કરનારાઓની સંખ્યા 50-55
કરોડથી વધુ થવાની ધારણા છે.
આ વખતે મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે સૌથી વધુ 8 કરોડ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું હતું, જ્યારે મકરસંક્રાંતિના પ્રસંગે
3.5 કરોડ ભક્તોએ અમૃત સ્નાન કર્યું. 1 ફેબ્રુઆરી અને 3૦ જાન્યુઆરીના રોજ 2 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું અને
પોષ પૂર્ણિમાના દિવસે 1.7 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. વસંત પંચમીએ 2.57 કરોડ ભક્તોએ સંગમમાં પવિત્ર સ્નાન
કર્યું. કલ્પવાસીઓ ઉપરાંત સ્નાન કરનારાઓમાં મુખ્યત્વે દેશ અને વિદેશના ભક્તો અને સંતોનો સમાવેશ થાય છે.