2025 Prayagraj
Kumbh Mela
2025 Prayagraj Kumbh Mela is an event held from January 13, 2025 to February 26, 2025 in Prayagraj, India.
માઘ પૂર્ણિમાના સ્નાન માટે પ્રયાગરાજમાં કરોડો ભક્તોની ભીડ જમા થઈ રહી છે. પ્રયાગરાજ જંકશન પર જાણે ઠેરઠેર કીડીયારું
ઉભરાયું છે. તેવામાં અદાણી અને ઇસ્કોન ગ્રુપના સંયુક્ત સહયોગથી પ્રયાગરાજમાં ભક્તોની ભારે ભીડને પહોંચી વળવા વિશેષ
વ્યવસ્થાઓ અને તૈયારી કરવામાં આવી છે. ભક્તોના ભારે ધસારાને પહોંચી વળવા માટે અંદાજે 4 લાખ લોકોને એક જ દિવસમાં
ભોજન કરવાની તૈયારીઓ કરી લેવાઈ છે.
માઘ પૂર્ણિમાના દિવસે મહાકુંભમાં સ્નાન કરવાનું મહત્વ ખૂબ જ છે. મહાકુંભનું માઘ પૂર્ણિમાનુ આ પાંચમું અમૃત સ્નાન છે.
અદાણી-ઈસ્કોનના ડીએસએ ગ્રાઉન્ડ સ્થિત મહાકુંભના સૌથી મોટા રસોડાને દિવસ-રાત સેવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. હજારો
ભક્તો અને સ્વયંસેવકો યાત્રાળુઓની સેવામાં રોકાયેલા છે. લાખો ભક્તોને કુશરૌબાગ વિસ્તારમાં મહાપ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે.
ગત મૌની અમાવસ્યાના પવિત્ર અમૃત સ્નાનના દિવસે પ્રયાગરાજમાં અદાણી-ઈસ્કોનના રસોડામાં 3.5 લાખ લોકોને એક જ
દિવસમાં મહાપ્રસાદ અપાયો હતો.
તાજેતરમાં કુંભમેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે અદાણી અને ઇસ્કોન દ્વારા આ ચોથું અન્નક્ષેત્ર સ્થાપિત કરવામાં આવ્યું હતું.
ત્રિવેણી સંગમ ખાતે ડૂબકી લગાવવા તો કેટલાક લોકો 10-20 કિલોમીટર સુધી ચાલીને આવે છે. ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન
કરી પરત ફરતા લોકોને તરત જ ગરમ અને પૌષ્ટક ભોજન મળી રહે તે માટે આ ભંડારો શરૂ કરવામાં આવ્યો હતો. અગાઉ પરિવહનમાં
લોજિસ્ટિકલ વિલંબ થતો હતો, પરંતુ નવી વ્યવસ્થા શરૂ થતા જ ભક્તોની સુવિધામાં વધારો થયો છે.