2025 Prayagraj
Kumbh Mela
2025 Prayagraj Kumbh Mela is an event held from January 13, 2025 to February 26, 2025 in Prayagraj, India.
ગુજરાતની દ્વારકા શારદાપીઠ મઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ મહાકુંભમાં અદાણી જૂથ દ્વારા ચલાવવામાં આવી રહેલી સેવાકીય
પ્રવૃત્તિઓની પ્રસંશા કરી છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ મહાકુંભમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશના અનેક સાધુ-સંતો અને
અખાડાઓ ભાગ લઈ રહ્યા છે. તેવામાં અદાણી જૂથ દ્વારા મહાપ્રસાદ સેવા, ગોલ્ફકાર્ટ સુવિધા અને આરતી સંગ્રહનું વિનામૂલ્યે વિતરણ
કરવામાં આવી રહ્યું છે. શંકરાચાર્યએ અદાણી-ઈસ્કોન દ્વારા ચલાવવામાં આવી રહેલી મહાપ્રસાદ સેવાઓથી રાજી થઈ અત્યંત પ્રસન્નતા
વ્યક્ત કરી હતી.
શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું કે, "તમે જોયું જ હશે કે કુંભ મેળામાં મોટા શિબિરો ગોઠવવામાં આવ્યા હતા જ્યાં
ભોજન, પાણી અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ન્યાયી સત્તાધિકારી અને વહીવટીતંત્રે વ્યવસ્થા કરી હતી અને સ્વૈચ્છિક
સંસ્થાઓ અને મોટા દાતાઓએ પણ વ્યવસ્થા કરી હતી. જ્યારે અમે સેક્ટર 12, 12 માંથી સેક્ટર 12 માંથી એક વિશાળ આયોજન કર્યું હતું.
અદાણી ગ્રુપ દ્વારા દરરોજ 1 લાખ લોકોને ભોજન આપવામાં આવે છે".
અગાઉ જગદગુરૂ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ પણ અદાણી જૂથ દ્વારા મહાકુંભમાં ચલાવાઈ રહેલી સેવાઓને બિરાદવી હતી.
ઉપરાંત મહામંડલેશ્વર કૈલાશાનંદજી, કિન્નર અખાડાના વડા લક્ષ્મીનારાયણ ત્રિપાઠી, ગીતા મનીષી સ્વામી જ્ઞાનાનંદજી, જૂનાગઢના
શેરનાથ મહારાજ સહિત અનેક સંતો, મહંતો, દેશ-વિદેશની ખ્યાતનામ હસ્તીઓ અદાણીની મહાપ્રસાદ, ગોલ્ફકાર્ટ સહિતની સેવાકીય
પ્રવૃત્તિઓને બિરદાવી ચૂક્યા છે.
અદાણી-ઇસ્કોનના સમવયંસેવકોની ટીમ દરરોજ લાખો યાત્રાળુઓને સાત્વિક અને પૌષ્ટિક મહાપ્રસાદ પીરસી સેવા કરી રહ્યા છે. સ્વયંસેવકો
શ્રદ્ધાળુઓમાંથી કોઈ ભૂખ્યું ન રહે, ખોવાઈ ન જાય અથવા સહાય વિના ન રહે તેની ખાતરી કરવામાં આવે છે. તેમનું સમર્પણ અને
નિઃસ્વાર્થ સેવા સાચી પ્રેરણા છે. તેઓ સેવા એજ સાધનાના મંત્રને સાર્થક કરતા મહાકુંભના મેદાનમાં અવિરત સેવારત છે.