All Stories

કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી સિંહ બઘેલે મહાકુંભમાં અદાણી-ઈસ્કોનની સેવાને બિરદાવી

કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી સિંહ બઘેલે મહાકુંભમાં અદાણી-ઈસ્કોન દ્વારા ચલાવાઈ રહેલી મહાપ્રસાદ સેવાને બિરદાવી છે. એટલું જ નહીં, તેમણે વિપક્ષો દ્વારા કરવામાં આવતા આરોપોને વાહિયાત ગણાવી તેનું ખંડન કર્યુ હતું. એસ.પી સિંહ બઘેલે મહાકુંભમાં સ્નાન કર્યા બાદ અદાણી-ઈસ્કોન દ્વારા ચાલતા ભંડારાની સેવામાં ભાગ લીધો હતો. આ અવસરે સ્વયંને સૌભાગ્યશાળી માનત એસપી સિંહે ગણાવતા મહાકુંભને સેવા, સહયોગ અને સમર્પણની ભાવનાનું ઉદાહરણ ગણાવ્યું હતું.

કેન્દ્રીય રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલે મહાકુંભમાં ઈસ્કોન અને અદાણી ગ્રુપના સેવાકીય કાર્યોની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે કુંભના આયોજનમાં ગેરવહીવટ હોવાના વિપક્ષના આરોપોનો પણ વળતો જવાબ આપ્યો હતો. મહાકુંભમાં પવિત્ર સ્નાનને તેમણે ભગવાનની કૃપા અને જીવનની એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાવી હતી.

તેમણે કહ્યું કે મહાકુંભ માત્ર એક આધ્યાત્મિક કાર્યક્રમ નથી, પરંતુ તે સેવા, સહકાર અને સમર્પણની ભાવનાનું જીવંત ઉદાહરણ છે. લાખો ભક્તોમાં ફેલાયેલી આસ્થા અને સેવાની આ પરંપરા ભારતીય સંસ્કૃતિનું ભવ્ય સ્વરૂપ છે.

ઈસ્કોન અને અદાણી ગ્રુપના સેવાકીય કાર્યની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, અદાણી ગ્રુપની મદદથી ઈસ્કોન દરરોજ એક લાખ લોકોને મહાપ્રસાદ આપી રહ્યું છે. આ સેવા કાર્ય મહાકુંભની ભાવનાને વધુ પવિત્ર બનાવે છે. આપણે તેને મહાપ્રસાદ કહીએ છીએ, કારણ કે આપણા દેશમાં 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ઘઉં અને ચોખા મફત આપવામાં આવે છે. આ ભારતની સેવા અને સમર્પણની પરંપરાનું પ્રતિબિંબ છે.

All Stories