All Stories

મહાકુંભમાં અદાણી-ઇસ્કોનના ભંડારામાં અન્નનો બગાડ અટકાવવા મજબૂત સિસ્ટમ

અદાણી ગ્રુપ અને ઈસ્કોન પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારની સાથે સમગ્ર શહેરમાં મહાપ્રસાદનું વિતરણ કરી રહ્યા છે. આ માટે ઈસ્કોનના રસોડામાં આખોય દિવસ પ્રવૃત્તિ ચાલે છે. લાખો લોકો સુધી પહોંચતા મહાપ્રસાદ વિતરણની સૌથી નોંધપાત્ર બાબત છે અનાજનો બગાડ ન થાય તે માટે કરવામાં આવેલા પ્રયત્નો અને આયોજન. ઈસ્કોનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કોઈપણ સંજોગોમાં 2 ટકાથી વધુ અનાજનો બગાડ કરવાની છૂટ નથી.

અદાણી-ઇસ્કોનની પ્રસાદ વિતરણ ટીમ પાસે ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ એપ્સ જેવી ટ્રેકિંગ સિસ્ટમ ન હોવા છતાં પણ પ્રસાદ વિતરણને સતત ટ્રેક કરવામાં આવે છે. તેના માટે 4-5 લોકોની ટીમ રસોડામાંથી બહાર આવ્યા પછી તેના વપરાશ પર સતત નજર રાખે છે. મહાપ્રસાદ વિતરણ જ્યાં ચાલી રહ્યું છે ત્યાં ટીમના સભ્યો સમયાંતરે પ્રસાદની ઉપલબ્ધતા અને વપરાશ વિશે માહિતી આપતા રહે છે. સાંજ સુધીમાં બાકીનો પ્રસાદ તમામ વિતરણ સ્થળો પરથી એકત્રિત કરી બાકીના પ્રસાદનું સાંજે 6-7 વાગ્યા સુધીમાં ફરીથી વિતરણ કરવામાં આવે છે.

સ્વયંસેવકો દરરોજ સવારે ફૂડ-વિતરણ સહિતની સેવા માટે નીકળી જાય છે. મહાપ્રસાદ બનાવવાની પ્રક્રિયા સાથે ભોજનનો બગાડ અટકાવવાનું આયોજન પણ શરૂ થાય છે. આ માટે 4 લોકોની ટીમ સતત પ્રસાદના સેવનનો રેકોર્ડ રાખે છે. આ ટીમ દર કલાકે પ્રસાદનો વપરાશ માપે છે. સામાન્ય રીતે એક કલાકમાં અંદાજે 800 થી 1000 લોકો મહાકુંભમાં એક જગ્યાએ પ્રસાદ લે છે. લોકો કેટલી માત્રામાં પ્રસાદ લઈ રહ્યા છે તેનો પણ અંદાજ હોય છે. પ્રસાદ વિતરણ ટીમનું કહેવું છે કે જ્યારે ભક્તો બેસીને પ્રસાદ લે છે ત્યારે તેની માત્રા લગભગ 750 ગ્રામ હોય છે. પરંતુ જ્યારે લોકો ઉભા રહીને કે ચાલતી વખતે પ્રસાદ લે છે ત્યારે આ પ્રમાણ ઘટીને 350-400 ગ્રામ થઈ જાય છે.

એક ટીમ એ પણ તપાસે છે કે ખોરાક બગડ્યો નથી. જો ટ્રાફિક જામ કે અન્ય કોઈ કારણોસર પ્રસાદ પરત કરી શકાતો ન હોય તો અદાણી અને ઈસ્કોનના સ્વયંસેવકો ટ્રાફિકમાં ફસાયેલા અને પગપાળા ચાલતા લોકોમાં પ્રસાદનું વિતરણ કરે છે. આ સમગ્ર કવાયતમાં દરેકનો હેતુ એ છે કે અન્નનો એક દાણાનો પણ બગાડ ન થાય. અદાણી ગ્રુપે ઈસ્કોન સાથે મળીને દરરોજ 1 લાખ લોકોને મહાપ્રસાદનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મહાકુંભ મેળાના સમાપન સુધી આ સેવા ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાત્રે 2 વાગ્યાની આસપાસ ઇસ્કોનના રસોડામાં પ્રસાદ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. વહેલી સવારે લગભગ 500 ક્વિન્ટલ શાકભાજીની ખરીદી કરવામાં આવે છે. પ્રસાદમાં શું પીરસવામાં આવશે તેનું આયોજન પણ એક દિવસ અગાઉથી કરવામાં આવે છે. આટલું જ નહીં, આગામી દિવસનો સંપૂર્ણ પ્લાન પણ તૈયાર કરવામાં આવે છે. તદનુસાર પ્રસાદની તૈયારી અને વિતરણના એક દિવસ પહેલા અને પછી સંપૂર્ણ યોજના તૈયાર રાખવામાં આવે છે.

All Stories