All Stories

અદાણી જૂથે ગોલ્ફ કાર્ટ થકી શ્રદ્ધાળુઓની સંગમ યાત્રા સુગમ બનાવી

મહાકુંભ મેળામાં પણ અદાણી ગ્રુપ જરૂરિયાતમંદ લોકોને અત્યંત મદદરૂપ થઈ રહ્યું છે. અપંગો, વૃદ્ધો અને નાના બાળકો સાથે આવતી માતાઓ માટે અદાણી જૂથે ગોલ્ફ કાર્ટની વિના મૂલ્યે વ્યવસ્થા કરી છે. અશક્ત લોકોની મદદ માટે 40 જેટલી ગોલ્ફ કાર્ટ સતત ચલાવાઈ રહી છે. અસંખ્ય શ્રદ્ધાળુઓની સંગમ સુધીની યાત્રા સુગમ બનાવતા ત્રિવેણી પહોંચવાના માર્ગમાં ગોલ્ફ કાર્ટ ખૂબ જ મદદરૂપ નીવડી રહી છે.

અદાણી જૂથ દ્વારા મહાકુંભમાં વિવિધ સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. મહાકુંભના સેક્ટર 19 માં ઇસ્કોન દ્વારા સ્થાપિત કેન્દ્ર દ્વારા દરરોજ લાખો લોકો 40 સ્થળોએ મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. જ્યારે 40 ગોલ્ફ કાર્ટ શ્રદ્ધાળુઓ માટે કોઈપણ શુલ્ક વિના ત્રિવેણી પહોંચવાનું સરળ બનાવી રહ્યા છે. જેથી તેઓ આસ્થાની ડૂબકી આસાનીથી લગાવી શકે છે.

સામાજિક જવાબદારીઓની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સેવા એ સાધના, સેવા એ પ્રાર્થના અને સેવા એ જ ભગવાનના સૂત્ર હેઠળ, અદાણી ગ્રુપના કર્મચારીઓ સ્વેચ્છાએ સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કુંભમાં કાર્યશીલ છે. મહાકુંભમાં લોકોને ચાલવામાં પણ ખૂબ કાળજી રાખવી પડતી હોય છે તેવા સ્થળે જરૂરિયાતમંદોની સંગમ સ્નાનની મનોકામના પૂર્ણ કરવા માટે ગોલ્ફ કાર્ટ આશિર્વાદ સમાન છે.

દેશ અને માનવતાના સાંસ્કૃતિક વારસા તરીકે જાણીતા મહાકુંભ 2025માં સેવા ભાવના સાથે અદાણી ગ્રુપે ઇસ્કોન અને ગીતા પ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. જેમાં દિવ્યાંગો માટે ગોલ્ફનું આયોજન કરવામાં આવશે. કુંભ મેળામાં વૃદ્ધો અને નાના બાળકો સાથે માતાઓ માટે ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, શ્રદ્ધાળુઓમાં ગીતા સારની 5 લાખ નકલો પણ વહેંચવામાં આવશે. અદાણી અને ગીતા પ્રેસ મળીને મહાકુંભમાં 'આરતી સંગ્રહ' ના પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરશે.

અદાણી ગ્રુપ અને ગીતા પ્રેસ 2025 ના મહાકુંભ મેળામાં ભક્તોને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માને છે કે જ્ઞાનનું દાન સૌથી મોટું દાન છે. મહાકુંભમાં ધાર્મિક પુસ્તકોનું વિતરણ જ નહીં, પરંતુ ભક્તોને સનાતન ધર્મના આદર્શો અને મૂલ્યો સાથે જોડવાનું અસરકારક માધ્યમ પણ છે.

All Stories