2025 Prayagraj
Kumbh Mela
2025 Prayagraj Kumbh Mela is an event held from January 13, 2025 to February 26, 2025 in Prayagraj, India.
મહાકુંભમાં અત્યાર સુધીમાં 57 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં આસ્થાપૂર્વક ડૂબકી લગાવી છે. આમ છતાં ગંગાના
ગાંગાજળની શુદ્ધતા પર કોઈ અસર જોવા મળી નથી. પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ.અજય કુમાર સોનકરે તેમની પ્રયોગશાળામાં એ સાબિત કર્યું છે
કે ગંગાનું પાણી શુદ્ધ છે. ટોચના ભારતીય વૈજ્ઞાનિકે એક-બે નહીં પરંતુ સંગમ અને અરેલ સહિત 5 ઘાટો પરથી ગંગાજળ એકત્રિત કરી
તેની શુદ્ધતા સાબિત કરી છે.
ગંગા નદીના પાણીની શુદ્ધતા પર સવાલ ઉઠાવનારાઓને દેશના ટોચના વૈજ્ઞાનિકે પોતાની લેબોરેટરીમાં ખોટા સાબિત કર્યા છે. તેમણે
ગંગાનું પાણી લઈને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાની ખુલ્લો પડકાર પણ આપ્યો છે.
ડૉ. સોનકરના ત્રણ મહિનાના સતત સંશોધન પરથી સાબિત થયું કે ગંગાનું પાણી સૌથી શુદ્ધ છે. અહીં સ્નાન કરવાથી કોઈપણ પ્રકારનું
નુકસાન થતું નથી. પ્રયોગશાળામાં તેની શુદ્ધતાની સંપૂર્ણ પુષ્ટિ કરવામાં આવી છે. બેક્ટેરિયોફેજને કારણે ગંગાના પાણીની અદ્ભુત
સફાઈ ક્ષમતા દરેક રીતે અકબંધ રહે છે.
ટોચના વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકરે વ્યક્તિગત રીતે મહાકુંભનગરના સંગમ નોઝ અને અરેલ સહિત વિવિધ 5 મુખ્ય સ્નાનઘાટો પરથી
પાણીના નમૂનાઓ એકત્ર કર્યા હતા. આ પછી તેમને માઇક્રોસ્કોપિક તપાસ માટે તેની લેબોરેટરીમાં રાખવામાં આવ્યા હતા. ડૉ. અજયના
કહેવા પ્રમાણે આશ્ચર્યજનક રીતે કરોડો ભક્તોના સ્નાન કરવા છતાં પણ ન તો પાણીમાં બેક્ટેરિયાની વૃદ્ધિ જોવા મળી અને ન તો પાણીના
પીએચ સ્તરમાં કોઈ ઘટાડો થયો.
બેક્ટેરિયોફેજનો ચમત્કાર: ગંગાજળમાં શુદ્ધિકરણની કુદરતી શક્તિ
વૈજ્ઞાનિકને આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગંગાના પાણીમાં 1100 પ્રકારના બેક્ટેરિયોફેજ મોજૂદ છે. જે કોઈપણ હાનિકારક
બેક્ટેરિયાનો નાશ કરે છે. આ જ કારણ છે કે 57 કરોડ ભક્તોએ ગંગાના જળમાં સ્નાન કર્યા પછી પણ તેનું પાણી દૂષિત થયું નથી. ગંગાના
પાણીની એસિડિટી (PH) સામાન્ય કરતાં વધુ સારી છે અને તેમાં કોઈ અપ્રિય ગંધ કે બેક્ટેરિયાની વૃદ્ધિ જોવા મળી નથી.
ગંગાજળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
ડૉ. સોનકરે એ પણ સ્પષ્ટ કર્યું કે ગંગાનું પાણી માત્ર સ્નાન માટે સલામત જ નહી, પરંતુ તેના સંપર્કમાં આવવાથી ત્વચા સંબંધિત
રોગો પણ થતા નથી. મહાકુંભમાં 57 કરોડથી વધુ લોકો સ્નાન કરવા છતાં ગંગાનું પાણી તેની કુદરતી શક્તિને કારણે રોગમુક્ત રહે છે.
જો ગંગાનું પાણી ખરેખર પ્રદૂષિત હોત તો અત્યાર સુધીમાં હોબાળો મચી ગયો હોત. મા ગંગાની સ્વયંને શુદ્ધ કરવાની આ અદભૂત શક્તિ છે
કે 57 કરોડ ભક્તોએ સ્નાન કર્યા પછી પણ કોઈને કાંઈ નુકસાન થયું નથી.