All Stories

અદાણી-ઇસ્કોનના સ્વયંસેવકો મહાકુંભમાં લાખો ભક્તોને ભોજન કરાવવા ‘કુલી’ બન્યા!

મહાકુંભ મેળામાં સેવા અને ભક્તિની ભાવના ચરમસીમાએ છે ત્યારે અદાણી અને ઇસ્કોન સ્વયંસેવકોએ કોઈ પણ યાત્રાળુ ભૂખ્યો ન રહે તે સુનિશ્ચિત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અણધાર્યા પડકારનો સામનો કરતા નિઃસ્વાર્થ સ્વયંસેવકોએ સાબિત કર્યું કે સાચી સેવાને કોઈ અવરોધો નડતા નથી.

મહાકુંભમાં દરરોજ લાખો ભક્તો સાત્વિક મહાપ્રસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. કુંભનગરીમાં હાજર ઘણા લોકો માટે તે જીવનરેખા સમાન છે. જો કે, મહાપ્રસાદ બનાવવામાં સ્વયંસેવકોને અનેક અણધાર્યા અવરોધોનો સામનો કરવો પડે છે. ક્યારેક સુરક્ષા પ્રતિબંધોને કારણે અનાજ, શાકભાજી અને રસોઈના પુરવઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતા ટ્રકોને મેળા ક્ષેત્રમાં પ્રવેશ અપાતો નથી. તેવામાં સ્વયંસેવકો તેને ખભે ઉંચકીને રસોડા સુધી પહોંચાડે છે.

અનાજનો પુરવઠો ધરાવતા ટ્રકો 8 થી 9 કિલોમીટર દૂર ફસાયેલા હોય, અને પુરવઠા વિના સમગ્ર પ્રસાદ વિતરણ કામગીરી ઠપ્પ થવાનું જોખમ હોય તેવામાં આ સ્વયંસેવકો દેવદૂત સમાન કામ કરે છે. અદાણી અને ઇસ્કોનના સ્વયંસેવકો ચોખા, દાળ અને લોટની મોટી બોરીઓ તેમની પીઠ પર ઉંચકી 8 થી 9 કિલોમીટર લઈ જવાનું કાર્ય કરતા જોવા મળે છે. અતિશય ઠંડીમાં પરસેવાથી રેબજેબ થઈ જતા સ્વયંસેવકોના ચહેરા પર સ્મિત હતુ અને તેની પાછળ એકમાત્ર પ્રેરણા હતી કોઈ ભક્ત કુંભમાં ભૂખ્યો ન રહે!! તેમના માટે અનાજની બોરી ઉપાડવી એ બોજ નહોતો - એક સન્માન હતું.

અદાણી-ઇસ્કોન સેવા કરવાનો ખરેખર અર્થ શું છે તેના ઉમદા ઉદાહરણો છે. મહાકુંભમાં ચાલી રહેલી આ માનવ સેવાની વાત શ્રદ્ધાથી પરિપૂર્ણ છે. તે સાબિત કરે છે કે સેવા સાધના છે. સેવા એ જ ભક્તિ છે અને સેવા એ જ પરમાત્મા છે.

All Stories