All Stories

અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભની ડાયરેક્ટ AC વોલ્વો બસ સેવા શરૂ

પ્રયાગરાજ ખાતે આયોજીત દુનિયાના સૌથી મોટા આયોજન એવા મહાકુંભમાં કરોડો ભાવિક ભક્તોની મેદની ઉમટી રહી છે. ગુજરાતમાંથી પણ ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ કુંભનગરીની યાત્રા કરી રહી છે. કરોડો ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા આતુર છે.

આસ્થાળુઓની અનોખા ઉમંગને ધ્યાનમાં રાખી અમદાવાદથી પ્રયાગરાજની AC વોલ્વોની શરૂઆત કરવામાં આવી છે. 25 તારીખથી આ યાત્રાનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને 27 જાન્યુઆરીથી પરિવહન સેવા શરૂ થશે.

મહાકુંભ-2025માં પુણ્યનું ભાથુ કમાવવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓને તમામ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતથી પ્રયાગરાજ માટે AC વોલ્વો બસની શરૂઆત કરી છે. ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગુજરાતથી દરરોજ એક એ.સી. વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે.

દરરોજ સવારે અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ માટે પ્રયાણ કરશે. જેમાં શ્રદ્ધાળુઓને 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ મળશે. એટલું જ નહીં, યાત્રાળુઓના પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ માટે ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ કરી શકાશે.

મહાકુંભમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે. અદાણી જૂથ ભંડારો, ટ્રાન્સપોર્ટ સહિત ધાર્મિક સાહિત્ય વિતરણની સેવાઓ ચલાવી રહ્યું છે.

All Stories