2025 Prayagraj
Kumbh Mela
2025 Prayagraj Kumbh Mela is an event held from January 13, 2025 to February 26, 2025 in Prayagraj, India.
પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા મહાકુંભમાં દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. તેવામાં સુપ્રસિદ્ધ
ધારાવાહિક રામાયણમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલે અદાણી જૂથ સંચાલિત ભંડારામાં મહાપ્રસાદ પીરસ્યો હતો. અદાણી
જૂથ ઈસ્કોન સાથે મળીને મહાકુંભમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓને વિનામુલ્યે ભોજન પ્રસાદનું વિતરણ કરી રહ્યું છે.
રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે પ્રયાગરાજ
પહોંચ્યા હતા. તેમણે ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી સૌ માટે મંગલ કામનાઓ કરી હતી.
સંગમમાં સ્નાન બાદ તેમણે શ્રદ્ધાળુઓને ભંડારામાં મહાપ્રસાદ પણ પીરસ્યો હતો.
અરુણ ગોવિલ ભંડારા પર પહોંચીને ભક્તોને પ્રસાદ વિતરણ કરી રહ્યા હતા ત્યારે વાતાવરણ જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
અરુણ ગોવિલ બાબા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ મળ્યા. બાબા બાગેશ્વરને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું
કે, “આજે મને પ્રયાગરાજમાં પૂજ્ય બાબા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળવાનું અને દર્શન કરવાનું સૌભાગ્ય
મળ્યું. જય શ્રી રામ".
દેશ વિદેશની અનેક સુપ્રસિદ્ધ હસ્તીઓએ ઈસ્કોન-અદાણીના સહયોગથી પ્રયાગરાજમાં ચાલતી ભંડારા સેવાને બિરદાવી રહી છે.