All Stories

આખરે મહાકુંભ બાદ નાગા સાધુઓ ક્યાં અદૃશ્ય થઈ જાય છે?

નાગા સાધુઓ સનાતન ધર્મની અનોખી પરંપરાનો એક ભાગ છે. મહાકુંભમાં ભારે સંખ્યામાં ઉમટી પડતા નાગા સાધુઓની દુનિયા અનોખી અને રહસ્યમયી છે. મહાકુંભ દરમિયાન સૌથી પહેલુ અમૃત સ્નાન પણ નાગા સાધુઓ જ કરે છે. જો કે કુંભના સમાપન થયા બાદ તેઓ ક્યાં અદૃશ્ય થઈ જાય છે તેના વિશે અનેક વાયકાઓ જોવા મળે છે.

દેશના ખૂણે ખૂણેથી નાગા સાધુઓ મહાકુંભમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે, પરંતુ કુંભ પછી તેઓ જોવા મળતા નથી. તેમની ઓળખ તેમના નગ્ન અવતારથી જ થાય છે. શરીર પરની રાખ અને લાંબી જટાઓથી તેઓ ભીડમાં અલગ તરી આવે છે. જોકે, કુંભના અંત પછી લાખોની સંખ્યામાં આવતા નાગા સાધુઓ ક્યાંક ગાયબ થઈ જાય છે અને દેખાતા નથી. આ નાગા સાધુઓની રહસ્યમય દુનિયામાં અનેક વાત નવાઈ પમાડે તેવી છે.

કુંભનું અમૃત વરસાવવા નાગાઓનું તપ
કુંભમેળામાં કુંભનું અમૃત વરસાવવા મોટાભાગના નાગા સાધુઓ બે ખાસ અખાડામાંથી નાગાના રૂપમાં આવે છે. એક અખાડો વારાણસીનો મહાપરિનિર્વાણ અખાડો અને બીજો પંચ દશનામ જુનો અખાડો છે. આ બંને અખાડાના નાગા સાધુઓ કુંભનો ભાગ છે. તેઓ હાથમાં ત્રિશૂળ, શરીર પર રાખ, રુદ્રાક્ષની માળા અને ક્યારેક શરીરની આસપાસ પ્રાણીઓની ચામડી વીંટાળીને કુંભમાં આવે છે. કુંભમાં નાગાઓના પહેલા અમૃત સ્નાન બાદ જ અન્ય ભક્તોને કુંભ સ્નાનની મંજૂરી આપવામાં આવે છે. કુંભ બાદ દિગંબર નહીં, શરીર પર વસ્ત્ર નાગા સાધુઓ અન્ય દિવસોમાં દિગંબર રહેતા નથી. દિગંબર સ્વરૂપ સમાજમાં સ્વીકાર્ય નથી, તેથી તેઓ કુંભ પછી રૂમાલ પહેરે છે અને આશ્રમોમાં રહે છે. દિગંબર એટલે પૃથ્વી અને આકાશ. નાગા સાધુઓ માને છે કે પૃથ્વી તેમનો પલંગ છે અને આકાશ તેમનો ધાબળો છે. એટલા માટે તે કુંભનો અમૃત વરસાવવા માટે નાગના રૂપમાં આવે છે. મહાકુંભમેળા પછી નાગા સાધુઓ ક્યા જાય છે? કુંભમેળો પૂર્ણ થયા બાદ નાગા સાધુઓ પોતપોતાના અખાડામાં પરત ફરે છે. તેઓ ધ્યાન અને સાધના અને ધાર્મિક શિક્ષણ પણ આપે છે. તપસ્વી જીવનશૈલી ધરાવતા નાગા સાધુઓ હિમાલય, જંગલો અને અન્ય એકાંત સ્થળોએ તપસ્યા કરવા જાય છે. તો કેટલાક નાગા સાધુઓ શરીર પર રાખ વીંટાળીને તપસ્યા કરવા હિમાલય તરફ પ્રયાણ કરે છે. તેઓ કઠોર તપસ્યા કરે છે અને ફળ- ફૂલ ખાઈને જીવન વિતાવે છે. વળી કેટલાક નાગા સાધુઓ તીર્થ સ્થળોમાં રોકાય છે. દીક્ષા લીધા પછી તેઓ ધાર્મિક યાત્રાઓ કરે છે અને પ્રયાગરાજ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં તપસ્યા કરે છે.

All Stories