All Stories

લગ્નના બે મહિનામાં જ મહામંડલેશ્વર બની મમતા

મહાકુંભ 2025 માં દરરોજ અવનવા સમાચાર બહાર આવી રહ્યા છે. મમતા કુલકર્ણીના સંન્યાસની વાત સર્વત્ર ચર્ચાનો વિષય બની છે. તેવામાં વધુ એક મમતાએ સંન્યાસનો રસ્તો અપનાવ્યો છે. આ મહાકુંભમાં માત્ર 25 વર્ષની ઉંમરે એક નવોઢા મહામંડલેશ્વર બની ગયા છે. કિન્નર અખાડાના પ્રખ્યાત આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મમતાનું પિંડદાન અને પટ્ટાભિષેક કર્યું છે.

મમતાએ સંસારની ‘મમતા’ છોડી સનાતન ધર્મને આગળ ધપાવવાનો માર્ગ અપનાવ્યો છે. મમતાના જણાવ્યા પ્રમાણે મહામંડલેશ્વર બન્યા પછી મમતાનું ધ્યાન અખાડાને આગળ લઈ જવા તેમજ સંત સમાજ માટે વધુને વધુ કામ કરવાનો છે.

મમતા વશિષ્ઠના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા. તેના પતિ ગામના મુખિયા તરીકે જાણીતા છે. ગત વર્ષે નવેમ્બરમાં તેઓ સંદીપ વશિષ્ઠ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મમતાને 7 વર્ષની ઉંમરથી જ સનાતન ધર્મ તરફ ખાસ ઝુકાવ અને લગાવ હતો. તેમની આ અલખ આખરે રંગ લાવી, ધર્મ પ્રત્યેના અનોખા સમર્પણને જોતા મમતા વશિષ્ઠને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે.

આ અભૂતપુર્વ નિર્ણયમાં મમતાને તેના પરિવાર અને પતિનો સંપૂર્ણ ટેકો છે. તે 6 વર્ષ પહેલા કિન્નર અખાડાના મહામંડલેશ્વર સ્વામી પાર્વતી નંદ ધુલિયા ગિરીના સંપર્કમાં આવી હતી.

થોડા દિવસ અગાઉ સ્ટીવ જોબ્સની પત્ની પણ મહાકુંભમાં આવી હતી. તેમણે નિરંજની અખાડા પાસેથી દીક્ષા પણ મેળવી હતી. આ મહાકુંભમાં, IIT બાબા, મોનાલીસા અને હર્ષ રિચારિયાએ પણ ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યા છે.

All Stories