2025 Prayagraj
Kumbh Mela
2025 Prayagraj Kumbh Mela is an event held from January 13, 2025 to February 26, 2025 in Prayagraj, India.
પ્રયાગરાજમાં યોજાતો મહાકુંભ મેળો તેની આધ્યાત્મિક ભવ્યતા માટે જાણીતો છે, દેશભરના સાધુ સંતો અને તપસ્વીઓ તેમાં દૂરદૂરથી
સ્નાન માટે આવતા હોય છે. આ વર્ષે કરોડો લોકોની ભીડમાં "કબૂતર વાલે બાબા" એ અનોખુ કતૂહલ જગાવ્યું છે. પ્રખ્યાત જુના અખાડાના
મહંત રાજપુરીજી મહારાજ લગભગ એક દાયકાથી આ અનોખા માર્ગ પર ચાલી રહ્યા છે. તેમણે કબૂતરને દોસ્ત બનાવી સતત તેની સાથે જ રહેતા
જોવા મળે છે.
રાજપૂરીજી કુંભમાં ડૂબકી લગાવવા આવતા અનેક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કબૂતર વાલે બાબા મહાકુંભના અખાડાઓમાં કબૂતર
સાથે વિચરણ કરી રહ્યા છે. આ હરિપુરી કબૂતર મહંત રાજપુરીજી મહારાજના ખભે કે માથે સતત વીંટળાયેલુ જોવા મળે છે. આસપાસના લોકો પણ
તેમને જોઈને સુખદ આસ્ચર્ય અનુભવે છે. કબૂતરને શાંતિદૂત માનવામાં આવે છે તેથી કેટલાક શ્રદ્ધાળુઓને તેમાં શાંતિ અને
દિવ્યશક્તિના તો કેટલાકને તેમાં પક્ષીપ્રેમના દર્શન કરે છે.
પોતાના સાથી કબૂતર વિશે વાત કરતા મહંત રાજપુરીજી જણાવે છે કે, "આ કબૂતરનું નામ હરિપુરી છે," તેઓ હસતાં હસતાં ઉમેરે છે કે
"મેં આ કબૂતર સાથે 8 થી 9 વર્ષ વિતાવ્યા છે." બાબા માટે કબૂતર અ પ્રેમ, એકતા અને સૌ જીવો પ્રત્યેની કરુણાના દર્શનનું પ્રતીક
છે.
કબૂતરવાલે બાબાના મતે “જીવંત પ્રાણીઓની સેવા કરવી એ સૌથી મોટું કર્તવ્ય છે. બધા જીવો પ્રત્યે કરુણા અને સંભાળ રાખવી એ આપણી
જવાબદારી છે. આપણા જીવનનો અંતિમ ધ્યેય જીવોની સેવામાં પોતાને સમર્પિત કરવાનો હોવો જોઈએ.
પ્રયાગરાજના મહાકુંભમાં લાગેલા અખાડાઓ અને શિબીરો દેશ-વિદેશના લોકોને આવા એકથી એક ચઢિયાતા આસ્ચર્યોથી આકર્ષે છે.