2025 Prayagraj
Kumbh Mela
2025 Prayagraj Kumbh Mela is an event held from January 13, 2025 to February 26, 2025 in Prayagraj, India.
નાસ ડેઇલી તરીકે જાણીતા પ્રખ્યાત કન્ટેન્ટ ક્રિએટર નુસીર યાસીને વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભ મેળાની મુલાકાત
લીધી હતી. આ મુલાકાતમાં તેમણે અદાણી-ઈસ્કોન દ્વારા ચાલતા સેવાકીય કાર્યોનું અન્વેષણ કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
પર શેર કરાયેલા એક વિડિઓમાં યાસીને આ કાર્યક્રમની વિશાળતા અને મહત્વ જણાવતા આસ્ચર્ય અનુભવ્યું હતું.
સોશ્યિલ મીડિયામાં યાસીનનો વિડીયો મહાકુંભ મેળાનો એક અનોખો દ્રષ્ટિકોણ રજૂ કરે છે, તે કુંભના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક
મહત્વને ઉજાગર કરે છે. વિશ્વભરના વ્યુઅર્સને તેમાં ભારતીય સમૃદ્ધ પરંપરાઓનો પરિચય થાય છે. ભારતમાં 144 વર્ષે યોજાતો મહાકુંભ
મેળો એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક ઘટના છે.
નુસીર યાસીને મહાકુંભ વિશે વિસ્મય વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે "હું ઇતિહાસના સૌથી મોટા માનવ મેળાવડામાં ગયો હતો. આ
મહાકુંભનો મહોત્સવ દર સદીમાં ફક્ત એક જ વાર થાય છે. મને તે મારી સગી આંખે જોવા મળ્યો તેનો આનંદ છે! મહાકુંભ મેળામાં આપનું
સ્વાગત છે." તેમણે #SevaHiSaadhnaHai હેશટેગનો ઉપયોગ કરીને તેમની મુલાકાતને સરળ બનાવવા બદલ અદાણી ગ્રુપનો આભાર પણ વ્યક્ત
કર્યો હતો.
YouTube પર લગભગ 14 મિલિયન ફોલોઅર્સ ધરાવતા નાસ ડેઇલીએ અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસની મુલાકાત
બાદ મહાકુંભ મેળામાં ભક્તોને મળ્યા હતા.
નાસે ઉમેર્યુ હતું કે " અદાણી જૂથના 5,000 કર્મચારીઓ સ્વયંસેવકો તરીકે મહાકુંભમાં સેવા કરી રહ્યા છે. ઇસ્કોન ફાઉન્ડેશનના
સહયોગથી તેમણે લાખો શ્રદ્ધાળુઓને ભોજન રાંધવા અને પીરસવા માટે એક વિશાળ રસોડું બનાવ્યું છે." નાસ ડેઇલીએ આ મુલાકાત વૈશ્વિક
પ્લેટફોર્મ પર મહાકુંભ મેળામાં અદાણી ગ્રુપની સામાજિક સેવાઓ અને યોગદાનને શેર કરી છે.
અદાણી ગ્રુપ મહાકુંભ મેળાના સેવાકીય કાર્યોમાં સક્રિયપણે ટેકો આપી રહ્યું છે. ઈસ્કોન સાથે સહયોગ કરીને તે ભક્તોને સાત્વિક
ભોજન જેવી સેવાઓ પૂરી પાડી રહ્યું છે. તેમજ સનાતન ધર્મના પ્રચારાર્થે ગીતા પ્રેસમાંથી સાહિત્યનું વિતરણ કરવા માટે સક્રિયપણે
સંકળાયેલું છે.