2025 Prayagraj
Kumbh Mela
2025 Prayagraj Kumbh Mela is an event held from January 13, 2025 to February 26, 2025 in Prayagraj, India.
ગીતા મનિષી તરીકે જાણીતા પ્રખ્યાત વિદ્વાન, તત્વજ્ઞાની, માર્ગદર્શક, લેખક અને યોગી સ્વામી જ્ઞાનાનંદજીએ મહાકુંભમાં અદાણી
ગ્રુપની નોંધપાત્ર સેવા બદલ પ્રસંશા કરી છે. નૈતિક મૂલ્યો અને શ્રીમદ્ ભગવદ્ ગીતા પરના તેમના ઉપદેશો માટે પ્રસિદ્ધ સ્વામી
જ્ઞાનાનંદના પુસ્તકો અને વ્યાખ્યાનોએ લોકોને પ્રેરણા અને માર્ગદર્શન કરતા રહ્યા છે.
મહાકુંભમાં આયોજીત વિવિધ સેવાકાર્યોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડતા તેમણે તેને ઉત્તમ કાર્ય ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું
કે “અદાણી જૂથ દ્વારા સમગ્ર કુંભક્ષેત્રમાં ચલાવવામાં આવતી ભોજન વ્યવસ્થાનો લાખો લોકોને લાભ મળી રહ્યો છે”. ભંડારો અને
ઠેર-ઠેર ઉભી કરવામાં આવેલી ભોજન વિતરણ વ્યવસ્થાના પણ તેમણે વખાણ કર્યા હતા. આ સુંદર વ્યવસ્થા આયોજીત કરવા બદલ તેમણે આદાણી
જૂથને અનેક શુભકામનાઓ કહઅને સાધુવાદ આપ્યા હતી.
તેમણે કહ્યું હતું કે “સામર્થ્ય ભગવાનની કૃપાથી મળે છે, પરંતુ તેનો સદુપયોગ મહાકુંભ જેવા અવસરે કરવો એ નિ:સંદેહ સ્તુત્ય
પ્રયાસ છે. એ પ્રયાસોને અમારી સર્વતો ભાવે શુભેચ્છાઓ અને મંગલકામનાઓ પાઠવુ છું”. સ્વામી જ્ઞાનાનંદના ભારત અને વિદેશમાં મોટી
સંખ્યામાં અનુયાયીઓ છે. ગીતાના ઉપદેશોને પ્રોત્સાહન આપવામાં તેમનું યોગદાન વિશ્વભરમાં હજારો લોકોને પ્રેરણા આપે છે.
સ્વામી જ્ઞાનાનંદે ભગવદ્ ગીતાના જ્ઞાનને તમામ ઉંમરના લોકો સુધી પહોંચાડવા ગીતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ આઉટરીચ (GIEO)
ની સ્થાપના કરી છે. તેઓ મોરેશિયસ અને લંડન જેવા મુખ્ય શહેરોમાં કાર્યક્રમો યોજીને વિશ્વભરમાં ગીતા મહોત્સવનું આયોજન કરે છે.