All Stories

અદાણી ગ્રુપના પ્રસંશનીય યોગદાનને કિન્નર અખાડાના વડાએ વધાવ્યું!

કિન્નર અખાડાના વડા આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મહાકુંભમાં અદાણી ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા ભંડારા અને વિવિધ સેવાઓ પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે “ મહાકુંભમાં અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલ સેવા કાર્યો ખૂબ જ પ્રશંસનીય છે અને તેમણે આપેલા યોગદાન માટે આશીર્વાદ હંમેશા તેમની સાથે રહેશે”.

ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ ઉમેર્યુ હતું કે “અદાણી ગ્રુપ જે કામ કરી રહ્યું છે તે ખૂબ જ સારું છે. મહાકુંભ દરમિયાન ઇસ્કોન સાથે મળીને અદાણી ગ્રુપ દ્વારા આયોજિત આખા દિવસના ભંડારા અને અન્ય સેવાઓનો ઉદ્દેશ્ય માનવતાની સેવા કરવાનો છે. તે એક મોટું કાર્ય છે અને આ સેવામાં યોગદાન આપનાર દરેક વ્યક્તિ ખરેખર પ્રશંસાને પાત્ર છે”.

લક્ષ્મી નારાયણે કહ્યું હતું કે “સૌથી મોટું દાન એ અન્નદાન છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ, પછી ભલે તે નાનો હોય કે મોટો, અન્ન દાન કરે છે, ત્યારે તે સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયક હોય છે. અદાણી ગ્રુપની આ પહેલ અને તેમનું કાર્ય સમાજ માટે પ્રેરણાદાયક છે. મારા તરફથી તેમને ખુબ ખુબ શુભેચ્છાઓ અને આશીર્વાદ”.

ઉલ્લેખનીય છે કે, ગૌતમ અદાણીના માર્ગદર્શન હેઠળ, 300 થી વધુ એરપોર્ટ સ્ટાફ અને 5,000 થી વધુ અદાણી ગ્રુપના કર્મચારીઓ મેળા વિસ્તારમાં સ્વેચ્છાએ પોતાની ફરજો બજાવી રહ્યા છે.

All Stories