All Stories

મહામંડલેશ્વર કૈલાશાનંદજીએ મહાકુંભમાં અદાણી ગ્રુપના સેવાકાર્યોની પ્રશંસા કરી

મહામંડલેશ્વર આચાર્ય કૈલાશાનંદજી મહારાજે મહાકુંભમાં અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલા સેવા કાર્યની પ્રશંસા કરી છે. તેમણે અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણીને ઇસ્કોન સાથે મળીને ચલાવવામાં આવી રહેલા મહાપ્રસાદ માટે અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે આ મહાકુંભમાં અદાણી ગ્રુપ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવા અનુકરણીય છે.

શ્રી શ્રી ૧૦૦૮ નિરંજન પીઠાધીશ્વર મહામંડલેશ્વર આચાર્ય કૈલાશાનંદજી મહારાજે મહાકુંભ દરમિયાન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલા સેવા કાર્યો માટે સાધુવાદ આપ્યો છે. અદાણી અને ઇસ્કોન મળીને દરરોજ 1 લાખથી વધુ લોકોને મહાપ્રસાદનું વિતરણ કરી રહ્યા છે. આ મહાપ્રસાદ મેળા વિસ્તારમાં સ્થિત ઇસ્કોનના 3 રસોડામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે અને 40 થી વધુ સ્થળોએ તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સ્વામી કૈલાશાનંદજી મહારાજ એક હિન્દુ આધ્યાત્મિક ગુરુ, સંત, યોગ ગુરુ અને હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓના વિદ્વાન અને લેખક છે. સ્વામી કૈલાશાનંદ ગિરિજી નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર છે. નિરંજની અખાડાના વડા તરીકે તેઓ લાખો નાગા સાધુઓના અને હજારો મહામંડલેશ્વરોના ગુરુ છે.

2013 માં પ્રયાગરાજ મહાકુંભમાં અગ્નિ અખાડાએ પૂજ્ય સ્વામીજીને તેમના અખાડાના મહામંડલેશ્વર પર બિરાજમાન કરાવ્યા હતા. દેશ-વિદેશમાં સ્વામીજી સતત ચર્ચાનો વિષય બની રહ્યા હતા. દેશની મોટી-મોટી હસ્તીઓ સ્વામી કૈલાશાનંદ બ્રહ્મચારીજી સાથે મુલાકાત લઈ માર્ગદર્શન મેળવતી રહે છે.

All Stories