All Stories

પ્રયાગરાજમા ત્રિવેણી સંગમ ખાતે અદાણી-ઈસ્કોનના નવા રસોડાનો શુભારંભ

પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન માટે ભક્તોની ભીડ જામી રહી છે. તેવામા દર્શનાર્થીઓને સ્નાન કર્યા બાદ તરત જ ગરમાગરમ પ્રસાદ મળી રહે તે માટે અદાણી અને ઇસ્કોન દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ચોથું રસોડું શરૂ કરવામાં આવ્યું છે. તેનાથી યાત્રાળુઓને પવિત્ર સ્નાન બાદ તરત જ ગરમ પૌષ્ટિક પ્રસાદ મળી રહેશે.

પ્રયાગરાજની યાત્રામાં ભક્તોને ભારે પગપાળા પ્રવાસ ખેડવો પડે છે. ત્રિવેણી સંગમ ખાતે ડૂબકી લગાવવા તો કેટલાક લોકો 10-20 કિલોમીટર સુધી ચાલીને આવે છે. તેવામાં સ્નાન બાદ થાક અને ભૂખ લાગવી સ્વાભાવિક જ છે. શ્રદ્ધાળુઓની આ પીડા સમજીને અદાણી-ઈસ્કોન દ્વારા પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે નવા રસોડાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

કુંભમેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે અદાણી અને ઇસ્કોન દ્વારા આ ચોથું રસોડું સ્થાપિત કરવામાં આવ્યું છે. અગાઉ ભોજન મેળાના મેદાનમાં પરિવહન કરવું પડતું હતું, જેના કારણે લોજિસ્ટિકલ વિલંબ થતો હતો. હવે, આ નવી વ્યવસ્થા સાથે, ભક્તો તેમના પવિત્ર સ્નાન પૂર્ણ કર્યા પછી તરત જ સંગમ ખાતે જ પ્રસાદ મેળવી શકે છે.

આ સમયસરની પહેલ અદાણી અને ઇસ્કોનની નિઃસ્વાર્થ સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. એટલું જ નહીં, એ ખાતરી પણ કરે છે કે કોઈ પણ યાત્રાળુ ભૂખ્યો ન રહે અને દરેક ભક્તને આધ્યાત્મિક અને શારીરિક બંને રીતે સુપોષણ મળી રહે. અદાણી ગ્રુપના કર્મચારીઓ, ઇસ્કોન સાથે મળીને વિવિધ સ્થળોએ થઈ રહેલી ભોજન વ્યવસ્થામાં મદદ કરી રહ્યા છે, પરંતુ દરરોજ લાખો લોકો માટે બનાવેલા રસોડામાં ભોજન તૈયાર કરવામાં પણ મદદ કરી રહ્યા છે.

All Stories